૧૮૫૭ના વિપ્લવ માટેના જવાબદાર પરિબળો/કારણો
મિત્રો, આપની ઇચ્છા ને માન આપી બહુ જ ઊંડાણ માં લેખ લખું છું આશા છે કામ ગમશે. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 ૧૮૫૭ના વિપ્લવને ગમે તે નામ આપવામાં આવે પણ દરેક રીતે તેનું સ્વરૂપ મર્યાદિત અને અવ્યવસ્થિત”… થોમસન અને કેરેટ . “૧૮૫૭ના બળવાનું મૂળ સિપાઈઓ ના અસંતોષ માં રહેલું હતું અને જ્યારે મિરતના બળવાખોરોએ બહાદુરશાહ ને દિલ્હીની ગાદીએ બેસાડ્યો અને જમીનદારો તથા આમ પ્રજાના અમુક વર્ગોએ તેને ટેકો આપ્યો ત્યારે તેણે રાજકીય સ્વરૂપ પકડ્યું અને જે બળવો ધર્મ માટેની લડાઇ તરીકે શરૂ થયો હતો, તે સ્વાતંત્ર્યના યુદ્ધ તરીકે અંત પામ્યો.”… ડો. એસ. એન. પ્લ સેન બ્રિટિશ હિંદના ઇતિહાસમાં 1857નો યુગવર્તી બનાવ પલાસીના યુદ્ધ પછી બરાબર સો વર્ષે બન્યો. હિન્દીમાં બ્રિટિશસત્તા સાર્વભૌમ બની ચૂકી હતી. કંપનીના શાસન માં હિન્દના લોકોનું ખૂબ જ શોષણ થયું હતું. દેશી રાજ્યો આશ્રિત, રક્ષિત કે ખંડિયા બન્યા હતા. અનેક દેશી રાજ્યો ખાલસા થયા હતા. અને દેશી રાજ્યોની માનહાનિ થઈ હતી. આમ આ સો વર્ષના ગાળામાં કંપનીની અનેક દુશ્મનો ઊભા કર્યા હતા. પરિણામે કંપની સરકારની સામે વિરોધનું વાતાવરણ તૈયાર થઈ રહ્યું હતું. પ્રજા ધૂંધવાયેલી હતી ત્યાં જ ચરબીવાળા કારત...